Skip to playerSkip to main contentSkip to footer
  • 12/9/2019
અમરેલીઃ બગસરા પંથકમાં 24 કલાકમાં આદમખોર દીપડાએ માનવ પર બે હુમલા કર્યા હતા જેમાં એકનું મોત નીપજ્યું હતું અને એક મહિલા સારવાર હેઠળ છે દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસની ટીમોના ધાડેધાડા તેમજ શાર્પશૂટરો પણ ઉતારી દેવામાં આવ્યા છે ગત રાત્રે આખી રાત પોલીસ અને વન વિભાગ દોડતું રહ્યું પરંતુ દીપડો ક્યાંય નજરે પડ્યો નહોતો જો કે આજે બગસરાના કડાયા ગામ નજીકના સીમ વિસ્તારમાં દીપડાના સગડ મળી આવ્યા છે જો કે આ સગડ અત્યારના છે કે રાતના તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે સોનારીયા ડેમ નજીક દીપડાનું લોકેશન હોવાનું માનવામાં આવી રહ્યું છે, દીપડાના સગડ મળી આવતા શાર્પ શૂટરો પણ પહોંચી ગયા છે તેની મોટી સંખ્યામાં વનવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે

Category

🥇
Sports

Recommended