દ્વારકા: ભાલકાતીર્થના નૂતન મંદિર પર ધ્વજારોહણની સાથે ટોચના શિખરને આહીર સમાજ દ્વારા સુવર્ણ મંડિત કરાવાયો છે ત્યારે 1100 કાર અને 3500 બાઈક સાથે 2 કિમી લાંબી રથયાત્રા દ્વારકાથી પ્રસ્થાન કરાવવામાં આવી છે આ રથયાત્રા 12 ઓક્ટોને શનિવારે વેરાવળ થઇ ભાલકાતીર્થ પહોંચશે આ રથયાત્રાએ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવશે શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણિમા સમિતીનાં સંયુક્ત ઉપક્રમે તા 10થી 13 ઓક્ટોબર સુઘી ત્રિ-દિવસીય ભાલકેશ્વર મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણના નૂતન દેવાલય પર સુવર્ણ શિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ઘ્વજારોહણ, ધર્મઘ્વજ રથયાત્રા, નારાયણ યાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે આજે સવારે 9 વાગ્યે દ્વારિકાથી ભાલકાતીર્થ સુધીની રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે રથમાં શ્રીમદ્ ભાગવદ્ગીતાને પ્રસ્થાપિત કરવામાં આવી છે આ રથયાત્રા ઉપલેટા, જૂનાગઢ સહિતના ગામો-શહેરોમાંથી પસાર થઇ તા 12 ઓક્ટોને શનિવારે વેરાવળ થઇ ભાલકાતીર્થ પહોંચશે તા 13 ઓક્ટોને રવિવારે સવારે 8 વાગ્યાથી નારાયણયાગ યજ્ઞનો શુભારંભ થશે
Be the first to comment