Skip to playerSkip to main contentSkip to footer
  • 8/17/2019
રાજપીપળાઃ ગુજરાતના પ્રવાસીઓ રિવર રાફ્ટિંગનો રોમાંચ માણવા માટે રાજ્ય બહાર જતા હોય છે પરંતુ ગુજરાતના રિવર રાફ્ટિંગના શોખીનો માટે સારા સમાચાર છે રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી ખાતે રિવર રાફ્ટિંગની સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે રાજ્યમાં પહેલીવાર આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો જેનો લાભ પ્રવાસીઓને 1લી સપ્ટેમ્બરથી મળશે આ સુવિધાનો પ્રારંભ કરાવતી વખતે રૂપાણીએ પ્રવાસીઓ આગામી દિવાળી કેવડિયામાં ઉજવે અને પ્રકૃતિ તથા સાહસિક પ્રવાસનનો આનંદ માણે તેવો અનુરોધ કર્યો હતો આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે

Category

🥇
Sports

Recommended