અમદાવાદઃ જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના પાંચમાં માળે એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી છે જેને પગલે 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરકલ ઘટના સ્થળે છે તેમજ હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને 5 જેટલા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો છે આ યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હાલ 15 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમજ ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે બચાવ કામગીરી દરમિયાન ફ્લેટના રહીશોએ ફાયર કર્મીઓ સાથે મારા મારી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે બચાવ કામગીરી દરમિયાન ટેકનિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું
Be the first to comment