Skip to playerSkip to main contentSkip to footer
  • 7/9/2019
જીગ્નેશ કોટેચા, ગીર સોમનાથ: સામાન્ય રીતે જંગલમાં વસતા દીપડાઓ હવે માનવ વસતીમાં દેખા દેવા લાગ્યા છે આ દીપડાઓ ગામડાઓમાં આવી લોકો અને પશુઓ પર હુમલા કરતા રહે છે તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી હુમલાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે વન વિભાગના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા બે મહિનામાં દીપડાએ 15 માનવો પર હુમલો કર્યો છે જેમાં ત્રણના મોત થયા છે જેને લઇ સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે બહુ ઓછા લોકોને ખબર હશે કે જે રીતે માનવીને જેલની સજા થાય તે રીતે જ દીપડા અને સિંહ જેવા પ્રાણીઓ પણ માનવ પર હુમલો કરે કે મારી નાખે તો તેને પણ જેલની સજા ભોગવવી પડે છે મજાની વાત એ છે માનવીનું લોહી ચાખી ગયા હોય તેવા 50થી વધુ દીપડા તો આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે અને માત્ર વિસાવદર રેન્જમાંથી જ 60 દિવસમાં 32 દીપડા ઝડપાયા છે જેને લઇ સાસણ જેલ હાઉસફૂલ થઇ ગઇ છે

Category

🥇
Sports

Recommended