શાંઘાઈ સમિટમાં ભાગ લેવા માટે મોદી કિર્ગીસ્તાન જવા રવાના

  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સમ્મેલનમાં ભાગ લેવા માટે ગુરુવારે કિર્ગીસ્તાન જવા રવાના થયા છે વડાપ્રધાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના રસ્તે બિશ્કેક પહોંચશે એક દિવસ પહેલા જ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ હતું કે કિર્ગીસ્તાન જવા માટે મોદી પાકિસ્તાનનો રસ્તાનો ઉપયોગ નહીં કરે

SCOમાં મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય ચર્ચામાં સામેલ થશે સમિટમાં પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન પણ સામેલ થશે જો કે, બન્ને દેશો વચ્ચે મુલાકાત નહીં થાય જ્યારે ઈમરાન પહેલા જ મોદીને પત્ર લખીને વાચતીચની માગ કરી ચુક્યા છે

Recommended