અમદાવાદ:આજે ધોરણ-10નું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં તેજસ્વીનું બિરૂદ મેળવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ સામાન્ય ઘરના છે તો કેટલાક વિદ્યાર્થિઓના માથે પિતાની છત્રછાયા ન હોવા છતા માતાએ પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યા છે અમદાવાદનો મિહિર કોશરેકર જે ધોરણ-10માં 9979 PR સાથે ઉત્તીર્ણ થયો છે તે 9 માસનો હતો ત્યારે જ તેના પિતા મૃત્યુ પામ્યા હતા મિહિરે જણાવ્યું હતું કે ‘ભાઈ અને માતાએ ભણાવીને આગળ વધાર્યો આજે જે પણ કાઈ છું એ માતાના કારણે છું માતા કોમ્પ્યુટર કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા હતા 10 હજારના પગારમાં બંનેને ભણાવ્યા’
Comments