તુલસીશ્યામ અને ખાંભા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ગીર પંથકમાં દોઢ ઇંચ
  • 5 years ago
અમરેલી: સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહી છે સૌરાષ્ટ્રમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે તુલસીશ્યામ અને ખાંભા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે ગીર પંથકના તાંતણીયા, ધવાડિયા, ગીદારડી, ભણીયા, પાતળા સહિત ગીર જંગલ ગામડાઓમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે મુરજાતા પાકો પર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઇ છે
Recommended