અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના વડા સોનલ પંડ્યાએ ETV ભારત સાથે ટેલિફોનીક વાતચીતમાં આ મુદ્દે જણાવ્યું કે, બજારવાદ નવરાત્રીમાં મોટા પાયે પ્રવેશ્યો છે, મટિરીયલથી લઈને માણસ સુધી, અને આપણે જાણીએ છીએ કે અત્યારે મનોરંજન અને ફેશન અને દેખાડાનું પર્વ વધારે થઈ ગયું છે. તેના કારણે પછી મટિરીયલિઝમ બહુ ચરમસીમાએ આવે ત્યારે તે માણસને પણ મટિરીયલ બનાવી દે છે. સામાજીક મૂલ્યો અથવા આપણી સોશિયલ વેલ્યૂનું ધોવાણ થાય એ સ્વાભાવિક છે. આ ભાઈએ ઓપનલી વાત કહી એટલે સ્વાભાવિક પણે આ થતી જ હશે મૂળ વાત એ છે. તેમણે સ્વીકારી. બીજુ એ છે કે આપણે ત્યાં છોકરા-છોકરી સ્વાભાવિક રીતે બહાર બેઠા હોય તો મોરલ પોલિસીંગ બધા કરે એકલા કેમ બેઠા છો, એકલા શું કરો છો? નવરાત્રીમાં એટલી છૂટ મળે છે એટલે લે છે. મૂળ વાત પાત્ર પસંદ કરવાનો માણસનો અધિકાર હોવો જોઈએ પણ એના બજાર સ્વરૂપે મૂકો અને જેમ વસ્તુ ચણીયાચોળી તમને ભાડે મળશે એમ પાર્ટનર પણ ભાડે મળશે એમાં સંબંધોના બજારી કરણનો વાંધો છે.
Comments