Skip to playerSkip to main content
  • 3 years ago
રાજકોટમાં મકાનના રિનોવેશન દરમિયાન મકાનની છત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાજકોટના મીલપરા વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ જોવા મળી રહી છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.

Category

🗞
News

Recommended