ડૉક્ટરના અપહરણ કેસમાં નવો વળાંક, મહિલાના સાસુનો આક્ષેપ-ડૉ.ધર્મિષ્ઠા શાહની ભૂલને કારણે મારી વહુનું મોત થયું
  • 4 years ago
અમદાવાદ:એલિસબ્રિજમાં આવેલી નવકાર હોસ્પિટલમાં દાખલ સર્ગભાનું ડિલિવરી દરમિયાન વધુ લોહી વહી જતાં મૃત્યુ થયું હતું ત્યાર બાદ સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરવા ઉપરાંત એનેસ્થેશિયા આપનારા ડોકટરનું કારમાં અપહરણ કરી દોઢ કલાક સુધી અલગ અલગ જગ્યાએ ફેરવી ચાકુની અણીએ ડૉકટરની બેદરકારીથી જ સર્ગભાનું મોત નીપજ્યું છે તેવા વીડિયો બનાવી ડૉકટરને છોડી મૂકયા હતા આ મામલે ડોકટરે સાત વ્યકિત સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જો કે આ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે આ મામલે DivyaBhaskarએ મૃતક મહિલા રૂખસાર પઠાણના સાસુ વહીદાબીબી નાસિર ખાન પઠાણ સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે મહિલાની ડિલવરી કરનારા ડૉધર્મિષ્ઠાબહેન શાહ પર આરોપ મુકતા કહ્યું કે-ડૉધર્મિષ્ઠા શાહની ભૂલને કારણે મારી વહુનું મોત થયું છે
Recommended